Sunday, September 4, 2011

ઉણોદરી તપ:

ઉણોદરી તપ:
જેટલો જેનો આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો ખાવો તેને ઉણોદરી તપ કહે છે.

પૂરયેદશનેનાર્ધં ત્વર્ધં તોયેન પૂરયેત્ ।
વાયોઃ સંચરણાર્થં તુ ચતુર્થમવશેષયેત્ ।।

જઠરનો ૫૦% ભાગ દ્રવ્ય માટે , ૨૫% ભાગ પાણી માટે અને ૨૫% ભાગ વાયુ ના હલન ચલન માટે રાખવો. જેના કારણે દ્રવ્ય અને પાણી નું યોગ્ય મિશ્રણ શક્ય બને છે
ખોરાક જીભ પર ૫ સેકન્ડ, જઠરમાં ૮ કલાક અને તેના વતી બનેલ લોહી વાટે ૩ મહિના સુધી સરીરમાં રહે છે . તેથી ૫ સેકન્ડના " જીભના વિષયના" કારણે શરીર ના ૩ મહિના જોખમમાં ના મુકવા જોઈએ

આપણે લીધેલું અન્ન, મો થી જઠર સુધી પહોંચતા અને તેનો સંદેશો મગજ સુધી પહોંચતા પાંચ મીનીટ નો સમય થાય છે. મગજ ને જયારે પેટ ( જઠર ) ભરાયી ગયું છે તેવો સંદેશો પહોચે છે ત્યારે જઠર જ નહિ અન્નનળી પણ છલોછલ ભરાઈ ગયી હોય છે. અને તેના કારણે, મગજે જઠર પર આવેલા વધારાના ભારણને પચાવવા લોહીનું દબાણ મગજ પરથી હટાવી ને જઠર તરફ લઇ જાવું પડે છે. તેથી ઘણીવાર જમ્યા પછી નીંદ લેવાનું કહેવાય છે.જેથી કરીને લોહીનું પુરતું પરિભ્રમણ (જઠર માટે) શક્ય બને.
કોઈ પણ પ્રકારના વાસણને છલોછલ ભરી દેવામાં આવે તો, તેની રાસાયણિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. અને તે જઠરને એટલુંજ લાગુ પડે છે

No comments:

Post a Comment