Saturday, April 30, 2011

ભાષા છોડીને.. ફિલિપિનો આક્રમણ

નજીકના ઇતિહાસ ની વાત કરીએ તો મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી ૨૫૦૦ વર્ષ પહેલા, જયારે ફીલીપીનોએ રોજગાર માટે સામુહિક રીતે, પોતાના દેશ અને ભાષા ને છોડી, બીજા દેશ અને બીજી ભાષા ને અપનાવી ને આ યુગ માટે સાંસ્કૃતિક તેમજ બીજી ઘણી રીતે નવા પ્રકારની ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે હું જાણું છું, માનું છું કે જે દિવસે ભારત પ્રગતિના પંથે દોડવા માંડશે, ત્યારે એક મારી વાત પણ,આરસ ની તકતી પર લખી રાખજો, મોટા ભાગની ઓફીસો માં આ ફિલિપિનો ઘુસી જશે... કારણકે તેઓ નું વૈચારિક આક્રમણ આપણાં સંસ્કૃતિ, સંસ્કૃતિ કરનારા સામાજિક માળખા કરતા તદ્દન ઉલટું છે. તેઓ પોતાની સંસ્કૃતિ નથી જાળવવા માંગતા, તેઓ આ દુનિયામાં અત્યારે એક એવી ક્રાંતિ લઈને/ધૂની ધખાવીને બેઠા છે કે કામ કરો પછી તે ગમે ત્યાં હોય. અહી દુબઈમાં ગુજરાતીની ઓફિસમાં પણ ફિલિપિનો ને કામે રાખવા માંડ્યા છે. કારણકે બોસ્સ ને ખબર છે તેની ઓફીસ માં ફિલિપિનો કેવું કામ કરે છે અને કોસ્ટ માં કેટલું સસ્તું પડે છે કેટલાક ફિલિપિનો તો ગુજરાતી પણ ઓફિસમાં રહ્યી સીખવા માંડ્યા હોય તેવું પણ છે. તે શા માટે શીખે છે ? તેમની ગુજરાતી સાહિત્યમાં રસ પડ્યો છે ને નર્મંદ કે મેઘાણીને વાંચવા છે ? ના તેમણે, ગુજરાતી બોસ ને ગુજરાતી બોલીને ભરમાવા છે. અને અહી ઘણા ભરમાયા પણ છે. પણ પછી તેમની કામ કરવાની શૈલી દેખી કોઈ તેમણે કાઢવાનું નામ નથી દેતું.
________
આ એક એવું આક્રમણ છે જે આવનારા વર્ષો માં ક્યારે ભારતમાં આવી જશે તે નક્કી નહિ. હા ભારતમાં આવતા વાર લાગશે .. પણ અશક્ય નથી . અત્યારે સુધીના તમામ ડેવેલોપ દેશોમાં તે પહોંચી ગયું છે. તેમને ખબર છે કે કોઈ પણ બીઝનેસમેન આખરે કોસ્ટ કટિંગ માં અને ઓફીસ મેનેજમેન્ટમાં ના માને તો તે ધીરે ધીરે ધંધામાંથી આઉટ થયી જશે. અને તે લોકો ત્યાજ આક્રમણ કરે છે ..તેઓ કોઈ બિઝનેશ નથી કરતા. બસ ફક્ત જે બીસ્નેસ્સ કરે છે તેમને હેલ્પ કરે છે.
________
ચીનની સ્કૂલોમાં જયારે હિન્દી સીખ્વાડવામાં આવતું દેખ્યું ત્યારે અમારા ગ્રુપના બધા બહુ ખુશ થયા, પણ મેં તેમની બીઝનેસ કરવાની સ્ટાઈલ દુબઈમાં દેખી છે, એટલે, ત્યારે એ ગ્રુપ માં રડ્નારો હું એકલો હતો.
________
આ ઠાકરેઓને કોણ સમજાવે કે...સંસ્કૃત ભાષા પણ ગયી જેણે તમે દેવો ની કહેતા હતા.. દંભી ના બનો ...ગુજરાતી કે માતૃભાષા ને ટકાવી સકાય છે ચીની લોકો ની જેમ, કોરિયન લોકો ની જેમ વર્તીને ...જો ભાષા ને જીવાડવી હશે તો તે ભાષા માં થતા ધંધા ઓ જીવાડવા પડશે ,ધંધા જીવશે તોજ ભાષા જીવશે.
________
આપણે ભારતીયો, ગુજરાતીઓ દુનિયા ની કઈ કઈ મોટી પોસ્ટ પર બેઠા છે તેનું એક લીસ્ટ હાથમાં રાખીએ છીએ અને હરખાઈએ છીએ, જયારે બીજી બાજુ એ વાત ભૂલી જઈએ છીએ કે, જો આ વાત ગર્વ લેવા જેટલી હોય તો, આ બધ્ધી જગ્યા એ જ્યાં સુધી, આ લોકો ત્યાની ભાષા માં વાત કરશે ત્યાં સુધીજ ટકશે ...
________
હું તો ત્યાં સુધી કહું છું કે ભલે તમે એજુકેસન માતૃ ભાષા માં લો, પણ તમારે જ્યાં પહોંચવું છે ત્યાંની ભાષા તમને નહિ આવડતી હોય તો તમારી કિંમત ચણા મમરાની જ છે. સમાજ શું કહે છે? , અખબાર શું કહે છે ? તેની ચર્ચા થવા દો.. હા એ હા પણ કરો ... પણ આંખ મીચકારી ..પાછળ થી ચેતી ને રહજો .. ધાર્યું તો તમારું જ કરજો ...
________
આગળની પેઢી એ જયારે સંસ્કૃત ભાષા ભૂલવાડી દીધી ત્યારે આપણને પૂછવા નહોતી આવી. આ તો એક સમયના પ્રવાહ માં આવતું રહેતું નાનું વાવાઝોડું છે . અને મારું માનો કોઈ તેમાંથી છટકી નહિ સકે. બસ તમે આ વાવાઝોડા ને જોઈ જાવ અને ચેતી જાવ. જે પ્રગતિનું કામ સવા અબજની વસ્તીની ભાષા માં ના થયી શકતું હોય તો .જે ભાષા માં થતું હોય તેમાં કરવામાજ સમજદારી છે.તત્વોનું ટુંપણું ભાષાનું ભૂંગળું જેણે ગાવું હોય તેને ગાવા દો. વાવાઝોડું આવે ને ભગવદ ગીતાને છોડીને હું ના ભાગું..તેવું બોલનાર ખાલી ભારતીય ફિલ્મો અને વાર્તા માં જ બચે છે વ્યવહારમાં નહિ .
________

નીચે આગ લાગી હોય ત્યારે મદદ માટે માતૃભાષા નહિ, લોકલ ભાષાનો ઉપયોગ કરવો પડે. નવલકથા; મને મોક્ષ ઉછીનો આપો

No comments:

Post a Comment