Sunday, April 17, 2011

પાપ,પુણ્ય,પૈશો,પદ, પ્રતિષ્ઠા, પતી કે પત્ની

પૈસા એટલે શું ?

હું જયારે આઠમાં ધોરણમાં ભણતો હતો ત્યારે પૈસા એટલે શું તેનો જવાબ મળેલો તે આજે આધ્યાત્મિક પરીભાષા ની ઐસીકી તૈસી કરી કહું છું. પૈસા એ તમે કરેલા કામની કમાણી નું સંગ્રહ સ્થાન છે. દરેક તીર્થંકરોના વખત માં ફક્ત સાટાસાટી પધ્ધતિ હતી. એટલે લોકો પોતાને આવડે તેવું કામ કરતા અને તે કામ ના બદલામાં જેની જરૂર હતી તે મેળવી લેતા. હા જે કામ નહોતા કરતા તેમને સામે પોતાની ચીજ વસ્તુઓ મળી શક્તિ નહોતી.
સમય જતા વિભાજન નો સવાલ ખડો થયો. મારી પાશે ભેસ હોય અને ૨૦ કિલો ચોખા જોયતા હોય પણ ભેશ નો ભાવ ૫૦ કિલો ચોખા હોય તો કરવું શું ? વળી પાછો સાચવવાનો સવાલ થયો, માની લોકે મેં ભેશના બદલામાં ૫૦ કિલો ચોખા લઇ લીધા તો ૨.૫ વર્ષ સુધી સાચવી રાખવાના કેવી રીતે !!! રાજા પણ પોતે લકક્ષર રાખતા અને શરક્ષણ પૂરું પાળતા અંને તેના બદલામાં વેરા લેતા.
આ બધા સવાલો નો જવાબ આપવ માટે પહેલા સોના મહોરો નું ચલણ આવ્યું. જે આજની તારીખ માં પૈસો બન્યું.
જે કામ કરવા માંગતું હતું તેમના માટેની આ બધી વાત હતી. જેમણે કામ નહોતું કરવું તેમને તો પહેલાય સવાલ નહોતો અને આજેય પણ નથી. પહેલાય માંગીને ખાતા હતા અને આજેય ખાઈ સકે છે.
ગુરુઓને પણ તેમની સીક્ષાના બદલામાં દક્ષિણા આપવાનો રીવાજ હતો અને છે. એ વખતના ગુરુઓ માં વાણી અને વર્તન ની એકતા હતી. તેથી પૈસા ને પાપ સમજીને નહિ, પણ જરૂર ના હોવાથી સાથે નહોતા રાખતા. તેમની જરૂરીયાત ફક્ત ઘાતિ , અઘાતી કર્મો ની નિર્જરા રહેતી. અને તેના માટે તેમની જરૂરીયાત ફક્ત શરીરની ક્રિયાઓ ના સમભાવે નિકાલ ની રહેતી. ક્યારેય કોઈ તીર્થંકરોએ કે ગુરુઓએ પૈસા બાબતે વર્ણન કર્યું નથી અને કેમ કરે? આવી તુચ્છ બાબતો આપણાં ભેજા માંથી ઉપજાવી કાઢેલી વાતો છે. આતો નાના છોકરા ઘર ઘર રમે અને દલીલો કરે તેવી વાતો છે.

શું હવે જમાનો એવો આવ્યો છે કે ...આવશે ....કે જેમાં પૈસા ને પાપ સમજવામાં આવે? તમે મને કહો કોના માટે આ પાપ સમાન છે. જેમણે કામ ધંધા ના કરવા હોય તે ભલે ને પડી રહે. જેને મોક્ષ જોઈએ છે તે પહેલા પૈસા કમાવા માંડે ..પૈસા હશે તો તમે transportation કરી શકશો,જ્ઞાનની ચોપડીઓ વાંચી શકશો.. અને તમને મોક્ષ લઇ જાય તેવા ગુરુ ની ખોજ કરી શકશો. નહીતર પડી રહશો દુનિયા ના એક ખૂણે અને રાહ જોજો કે કોઈ ગુરુ તમારા ઘરે આવીને હાથ પકડીને મોક્ષે લઇ જાય.. રામ રામ કરો અને રાધે રાધે કર્યા કરો.
જમાનો ક્યારેય ખરાબ થતો નથી, પણ આપણાં વિચારો જડ જેવા રહે છે, જ્ઞાન દિવશે દિવશે વધતું જાય છે જો આપણું મોક્ષ નું લક્ષ જડ રહે તો નવા જ્ઞાનનો ઉપયોગ કરી તે સિદ્ધ કરી સકાય છે.
પાપ તો આ જગત માં કશું છે જ નહિ. ફેર ખાલી જગતની દ્રષ્ટિમાં છે,તો પૈશો ક્યાંથી પાપ થયો ? બલ્બ પ્રકાશ આપે પણ તે પ્રકાશ નો ઉપયોગ તમે બેટરી માં બલ્બ ભરાવી રાત્રે ચોરી કરવા માં વાપરો તેમાં બલ્બ ક્યાંથી ચોર થયો? એના કરતા છાનોમાનો ચોપડીઓ વાંચને...આવી ઘેલી ઘેલી વાતો કાં કરે ? મોટો ન્યાયાધીશ, પાપ અને પુણ્ય નો ચુકાદો આપવા વાળો ......


પૈસા ને પાપ એજ લોકો ગણતા હતા જે "ક્યારેક પૈસા એ પુણ્યથી મળે છે" તેવું કહેતા હતા 

No comments:

Post a Comment