Saturday, April 16, 2011

ભ્રષ્ટાચાર અને હું.

છોકરા છોકરી શોધવાના હોય ત્યારે ગવાર્ન્મેન્ત સર્વિસ વાળા ને પ્રેફેરેન્સ અઆપ્વાનું કારણ તેની "ઉપરની" કમાઈ છે. જ્યાં સુધી તે મૂળભૂત દ્રષ્ટી નાં બદલાય,
અરે પુજારીને પૈશા આપીને વહેલા દર્શન કરનારા નાં બદલાય,
અરે હું પૈશા લઈને કામ નહિ કરું તો બીજો કોઈ કરી દેશે ....નો અભિગમ નાં બદલાય,
ત્યાં સુધી આન્ના નું કશું ઉપજે તેમ નથી. :

_______________________________
અહી અન્ના હજારે ને સપોર્ટ કરનારને કાલથી કોઈ પણ જગ્યા એ ટ્રાફિક પોલીસ,સરકારી ઓફીસ કે કોઈ પણ જગ્યા એ ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપ્યું તો અન્ના જી નાં ઉપવાસ નાં સોગંધ : 
______________________________
આ ભ્રષ્ટાચાર નું મૂળ મારામાં જ છે. મેં કેટલીય વખત, તેઓ ભ્રસ્તાચારી છે તેવું જાણવા છતાં,આ ભ્રસ્તાચારીઓને મત આપ્યા છે અને તેમને તક આપેલી છે. આતો મારી જ મારી સામે ની લડત છે. આ તો તેઓ લઇ ગયા અને અમે રહ્યી ગયા ની લડત છે. જો એક ફિલ્ટર મુકવામાં આવે કે જીવનભર જેમને ભ્રષ્ટાચાર નાં કર્યો હોય તેજ આગળ આવે તો ? હું પ્રમાણિકપણે, કહું છું કે આ લડત ને હું ખુલ્લેઆમ ટેકો આપવાને નૈતિકરીતે લાયક નથી, કારણકે ભ્રષ્ટાચાર મેં પણ કરેલો છે. એક ટેબલ પર થી બીજા ટેબલ પર, અટવાયેલી ફાઈલોને મેં ખુદ પૈસા આપીને આગળ ધપાવેલી છે. અને ફરીથી જયારે જરૂર પડશે ત્યારે તે હજી પણ કરવાની ઈચ્છા ધરાવું છું. જો મને મારા કામમા કોઈ રોકશે, તો હજી જરૂર હું "કઈક" કરીશ. અને જો કોઈ રોકશે નહિ તો, મારે જરૂર પણ નહિ પડે
________________________________
વલ્ડ કપ જીત્યા ત્યારે જોવા મળેલા ઝંડા ની સંખ્યા કરતા ૧ ટકા ઝંડા પણ આ અન્ના હજારે નાં સરઘસ મા મળે તો ???? , આજે ભારતને ફરીથી એક તક મળી છે કે જે ઈજીપ્તમાં શક્ય બન્યું તે અહી પણ કરી દેખાડી શકીએ ...ક્યા સુધી ફક્ત ક્રિકેટ માટે જુસ્સો રાખીશું એક પલ આવનારી પેઢી માટે પણ આવો જુસ્સો નાં બતાવી શકીએ ? ?
________________________________
કાલે "...ચાલો દિલ્હી " નામનું મેં પોસ્ટ લખેલું.અને તેમાં સવાલ કરેલો શું ઈજીપ્તમા થયો તેવો જુવાળ ઉભો થશે ? તો તેના જવાબ મા મારા એન આર આઈ મિત્રોએ, એ મુદ્દા ને હિંસક- અહિંસક નો મુદ્દો બનાવી નાખ્યો. બંને મિત્રો નું કહેવું એમ હતું કે તેઓ અહિંસાનાં પુજારી છે અને હું હિંસાનો પુજારી. કારણકે;
"મેં સુભાષચન્દ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે થયેલા ખટરાગ નાં થોડાક મુદ્દા પહેલા ચર્ચેલા. ત્યારે તે મીત્ર એ એવો ભર મુકેલો કે આઝાદી ફક્ત અહિંસા ને કારણે મળેલી. અને અહિંસા ની જીત જ સમગ્ર ઈતિહાસમા પ્રવર્તે છે. મેં તેઓ ને કહેલું કે એવું નથી જયારે "જે " જરૂરી લાગે તે થાય છે અને "જે " મજબુત હોય તેની જીત થાય છે. તો તેમને એવો સવાલ ઉઠાવેલો કે નક્સલવાદીઓ પોતાની માંગ માટે હિંસા કરે છે તે વ્યાજબી છે ? મેં કહેલું કે "જે" મજબુત હશે અને "જ્યાં સુધી" મજબુત હશે "તે" જીતશે. મારો સ્વભાવ દ્રષ્ટા નો છે. કોઈ એક પક્ષ મા ઉભા રહેવાનો નથી. હું તો બસ આ આમ છે અને આ તેમ છે તેમ કહું છું. "
કાલે આ પોસ્ટ મા દિલ્હી જઈને અન્નાજી ની લડત મા જોડવા માટે ની વાત કરી. તો તેમને ૧.૫ થયીને કોમેન્ટ લખી "વિપુલભાઈ, આ અહિંસા ની લડત છે ..." મેં કહ્યું કે તો શું? તો તેમને કહેલું કે તમે કોન્ટ્રાડીક્તઅરી, વાતો કરો છો..મેં કહેલું કે મારો સ્વભાવ જ આવો છે. સમયે સમયે તક જોઇને હું નિર્ણય લઉં છું. અને હું આવી બાબતે ચરકટ છું જ. મેં તમને વાત કરી કે હુઓ અહિંસક લડતનાં આટલા મોટા દાવેદાર હોવ, અને હું હિંસા ને ભૂલે ને જો અહિંસક બનતો હોવ તો તમે જરૂર સાથ આપશો, આવી જાવ ત્યારે સાથે મળીને કામ કરીશું... મારા બેટા મેદાન છોડી ને જતા રહ્યા.
મને એમ થાય છે કે તેઓ એ અહી,હિંસા અહિંસા ની વાતો કેમ છેડી. ભ્રષ્ટાચાર નાં મુદ્દે જે લડાઈ લડાય છે. તેમાં તેઓ કેવા પ્રકાર ની હિંસા ની અપેક્ષા રાખતા હતા કે જે નાં હોવાથી તે અહિંસા -- અહિંસા નાં ઝંડા લઈને તૂટી પડ્યા? તે તો,તેમની અંદર રહેલો અહિંસાનાં ઠેકાનો કીડો સળવળી ઉઠ્યો એટલે તેવું થયું. અને પછી મારી "સળીએ", તેમના અહંકારે ટેક-ઓવર કર્યો ...પછી અહંકાર-અહંકારની લડાઈ મા જે હવાતિયા મરાય ...આહ...હા..હા.. મજા આવી ગયી ... કાલે રાત્રે સર્ફિંગ અને ફોન કોલ પર , આ લડાઈ વિષે મેળવેલી માહિતી ફરી ક્યારેક... 


No comments:

Post a Comment